સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
લાયકાતનાંધોરણો:.
- વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
- અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
- અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
- બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથીઓછી.
No comments:
Post a Comment